જૂનાગઢના ગરવા ગિરનારની ટોચે બિરાજમાન માતા અંબાજી મંદિરે નવરાત્રિની પૂર્જાઅર્ચના રંગેચંગ અને ભાવભક્તિ સાથે થઈ રહી છે. ગુરુવારે મહાઅષ્ટમીના દિવસે હવન યોજાયો હતો. બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિથી મા અંબાજીનો હવન કર્યો હતો. જેના દર્શન કરવા લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. (તસ્વીર- વિજય ત્રિવેદી)