શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરવા માટે યજ્ઞ

અમદાવાદ– અમરાઈવાડીના જાગૃતિનગર સોસાયટીમાં શ્રી જૂના નંદાસણના મેલડી માતાજીના મઢમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થાય અને લોકપ્રિય સરકાર રચાય તે માટે મહાશકિત યજ્ઞ કરવામાં આવ્યો. સાથે આજે દેવદિવાળી નિમિતે મંદિરના ૧૫માં પાટોત્સવમાં ઉમટ્યાં અને અન્નકૂટ ભરાયો હતો.