નવરાત્રિ મહોત્સવમાં શહીદ પરિવારોને સહાય

અમદાવાદના સોલા ગામમાં શ્રી કડવા પાટીદાર માઇ મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં લશ્કરના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સરહદ પર શહીદ થયેલા ગોપાલસિંહ ભદોરીયા અને દિનેશ દીપક બોરસે આ બંને શહીદ પરિવારને એકએક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયાં હતાં. કાર્યક્રમમાં શહેરના હેલ્થ કમિટીના ચેરમેન દિનેશભાઈ દેસાઈ, સ્થાનિક કોર્પોરેટર સુરેશભાઇ પટેલ અને પારુલબહેન પટેલ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર- ધીરજ પટેલ)