GalleryCulture ‘વાંચે ગુજરાત’: અમદાવાદમાં ફરી આવ્યો છે નેશનલ બુક ફેર; સાથે ‘ચિત્રલેખા’નો સ્ટોલ પણ છે… November 25, 2018 અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ, વસ્ત્રાપુર ખાતે સાતમા અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજીત અને 30 નવેમ્બર સુધી ચાલનારા આ સાતમા નેશનલ બુક ફેરમાં વિવિધ વિષયો પરના અસંખ્ય પુસ્તકોનો ભંડાર છે. બાળકો સહિત તમામ વયનાં પુસ્તકપ્રેમીઓ ઉત્સાહપૂર્વક આ બુક ફેરમાં ભાગ લેતાં જોવા મળી રહ્યાં છે. બુક ફેરનું શનિવાર, 24 નવેમ્બરે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ બુક ફેરમાં ‘ચિત્રલેખા’નો પણ સ્ટોલ છે, જ્યાં ‘ચિત્રલેખા’ના સંસ્થાપક-તંત્રી વજુભાઈ કોટક લિખિત પુસ્તકો વિશેષ ઓફર સાથે ઉપલબ્ધ છે. તો પુસ્તકપ્રેમીઓએ આ અવસરનો લાભ લેવા જેવો છે. આ બુક ફેરમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એક મેડિકલ કેમ્પ સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે જેમાં ડાયાબિટીસ માટે નિઃશુલ્ક તપાસ કરી આપવામાં આવે છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)