RBI દ્વારા ભારતમાં ક્રિપ્ટોકરન્સી લાવવાનો વિચાર…

બિટકોઈનની લોકપ્રિયતા પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવા પર વિચાર કરી રહી છે. એક તરફ મોદી સરકારે રાતોરાત 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી રદ કરી, અને હવે ક્રિપ્ટોકરન્સી લાવવા પર વિચાર ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે લોકોને અપીલ કરી છે, પણ ભારતનું કલ્ચર તેને સ્વીકારવા તૈયાર નથી. ભારતમાં શહેરો કરતાં ગામડા વધારે છે, જેથી ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ કે ઓનલાઈન પેમેન્ટ કરવું હજી સરળ થયું નથી. ઈન્ટરનેટના પ્રોબલેમ, બેંક ખાતા નહી, બેંક ખાતા હોય તો ડિબટ કે ક્રેડિટ કાર્ડ નહી. અથવા તો ગામડાના ખેડૂતો ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી, તે સ્વીકારે તો સામે વેપારી પાસે પુરતાં પીઓએસ મશીન નથી. આ સંજોગોમાં હવે કેશલેશ ઈકોનોમી કેવી રીતે થાય તે સૌથી મોટો સવાલ છે. તો બીજી તરફ બિટકોઈનની સફળતા જોઈને આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી લાવી રહી છે. તે શું ભારતમાં સફળ થશે…?

આરબીઆઈ પહેલા બિટકોઈન કરન્સી સામે ચેતવણી આપતી હતી. પણ ઘરેલુ બિટકોઈન એક્સચેન્જનું કહેવું છે કે દરરોજ તેના 2500 યુઝર્સ વધે છે, અને ડાઉનલોડ 5 લાખ થઈ ગયા છે.

2015માં લોન્ચ થયા પછી કંપનીનું કહેવું હતુ કે સતત વધતા જતાં ડાઉનલોડ પરથી જાણી શકાય કે લોકોનો બિટકોઈન પર વિશ્વાસ વધ્યો છે અને આ કરન્સી સૌથી લોકપ્રિય ઈમર્જિંગ એસેટ્સ ક્લાસ તરીકે ઉભરી રહી છે. હવે ભારતમાં બિટકોઈન લોન્ચ કરવા આરબીઆઈ વિચારે છે, અને તેનું ધનની દેવી ‘લક્ષ્મી’ નામ રાખવા માંગે છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે આરબીઆઈની ક્રિપ્ટોકરન્સી તેની યોજનાનો હિસ્સો હોઈ શકે છે. જે અનુસાર કે બ્લોકચેન તૈયાર કરવા પર વિચાર કરી રહી છે. ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડને લઈને રેકોર્ડ રાખનારી વ્યવસ્થાને બ્લોકચેન કહે છે. ફ્રોડ અને બેડ લોનનો સામનો કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અન્ય બેંક અને ટેકનિકલી કંપનીઓ સાથે મળીને તેના પર કામ કરી રહી છે. આ મામલામાં એસબીઆઈ આઈબીએમ, માઈક્રોસોફટ, સ્કાઈલાર્ક, કેપીએમજી અને 10 કોમર્શિયલ બેંકોની સાથે કામ કરી રહી છે.

આમ જોવા જઈ તો બિટકોઈન ભારતમાં ગેરકાયદે છે, જે માટે આરબીઆઈ સતત ચેતવણી આપી રહ્યું છે, અને આવકવેરા વિભાગની પણ બાજ નજર છે. બિટકોઈનમાં ચાર વર્ષ પહેલા રોકાણ કરનારાઓને ભારે વળતર મળ્યું છે એટલે કે 10 ગણાથી પણ વધારે વળતર છુટયું છે. ચાર વર્ષ પહેલા કેટલાય લોકોએ રોકાણના હેતુથી બિટકોઈનની ખરીદી કરી હતી.

ભારત પણ બિટકોઈન ટ્રેડિંગને રેગ્યુલેટ કરવા પર વિચાર કરે છે. જાપાને આ ડિજિટલ કરન્સીને કાયદાનું સ્વરૂપ આપ્યું છે, જે પછી તેમાં ખાસ્સી તેજી આવી છે. જાપાનના આ પગલાથી કેટલાય વેન્ડર્સ આ વર્ચ્યુઅલ કરન્સીને સ્વીકારવાનું ચાલુ કર્યું છે.

ક્રિપ્ટોકરન્સી  શું છે ?

ક્રિપ્ટોકરન્સીને ઈ-ચલણ કહી શકાય. તે નોટોની જેમ હોતી નથી, માત્ર કોપ્મ્યુટર પર જોવા મળે છે. તે આપના ખિસ્સામાં આવતી નથી. તેથી તેને ડિજિટલ અથવા તો વર્ચ્યુલ કરન્સી કહેવાય છે. તેની શરૂઆત 2009માં થઈ હતી. તેનો ઉપયોગ અને ચુકવણી માટે ક્રિપ્ટોગ્રફીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે થઈને તેને ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. બિટકોઈનને વિશ્વની સૌથી પહેલી ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. જેને જમા કરવા પર તેને માઈનિંગ કહેવાય છે. ક્રિપ્ટોકરન્સીને દુનિયાના કોઈપણ ખુણામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તેને કોઈપણ પ્રકારની કરન્સીમાં કન્વર્ટ કરી શકાય છે., જેમકે ડૉલર… યૂરો અને રૂપિયા… વિગેરે

બિટકોઈન શું છે…?

બિટકોઈન એક ડીસેન્ટ્રલાઈઝ્ડ પેપરલેસ ક્રિપ્ટોકરન્સી છે. તેની શરૂઆત 2009માં થઈ હતી. દુનિયાના દેશોની કરન્સીની સામે ક્રિપ્ટોકરન્સીને બેંક અથવા એક કન્સોર્શમ જેવી કોઈ સેન્ટ્રલ ઓથોરિટી પ્રોડ્યુસ નથી કરતી. બિટકોઈન માઈનિંગ રિગ્સ કહેવાતી કમ્પ્યુટર પ્રોડ્યુસ કરે છે અને એ કમ્પ્યુટર આ વર્ચ્યુઅલ કરન્સીને હાંસલ કરવા માટે ગણિત જેવી જટિલ સમસ્યાઓને હલ કરે છે. એક લેજર તમામ ટ્રાન્ઝક્શનનો રેકોર્ડ રાખે છે. એક ક્રિપ્ટોકરન્સી માઈનિંગ રિગ દરેક સમયે કામ કરે છે. તેનું પર્ફોમન્સ હાઈ એન્ડ ગ્રાફિક કાર્ડ અને તેનો ઉપયોગ કૂલિંગ સિસ્ટમ પર નિર્ભર રહે છે. માઈનિંગ રિંગની સરેરાશ 3 લાખ રૂપિયા હોય છે. ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે મોટી કમ્પ્યુટિંગ તાકાત રાખનારી મશીનો ખુબ મોટા ઑલનાઈન વેન્ડર્સની સાથે લોકો રોકાણ કરે છે.

23 સપ્ટેમ્બરના રોજ બિટકોઈનની કીમત 3751 ડૉલર હતી, જે ભારતીય રૂપિયામાં રૂ.2,43,000 ઉપર થવા જાય છે.

વિશ્વની બીજા નંબરની ક્રિપ્ટોકરન્સી ઈથર

બિટકોઈન પછી ઈથર વિશ્વની બીજા નંબરની લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી અને સૌથી વધુ જાણીતી ડિજિટલ કરન્સી છે. તેનો ઉપયોગ ઈથેરિયમ બ્લોકચેન પર સંચાલિત એપ્લિકેશનોના પેમેન્ટમાં થાય છે. ઈથરની કીમત પાછલા બે વર્ષમાં 30,258 ટકા વધીને 12 જૂન 2017ના રોજ 394.66 ડૉલર( અંદાજે રૂપિયા 25,432)સુધી પહોંચી ગઈ હતી. જે 12 ઓગસ્ટ, 2015ના રોજ 1.3 ડૉલર(83 રૂપિયા) હતો. આ લેખ જ્યારે લખાઈ રહ્યો હતો, ત્યારે 19 સપ્ટેમ્બર, 2017ના રોજ 289 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

2015માં લોન્ચ થયેલ ઈથેરિયમ એક ડીસેન્ટ્રલાઈઝ્ડ સોફટવેર પ્લેટફોર્મ છે. જે કોઈપણ થર્ડ પાર્ટી ઈન્ટરફેસ વગર સ્માર્ટકોન્ટ્રેક્ટ્સ અને ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશનને સક્ષમ બનાવે છે. આ એક પ્રોગ્રામિંગ લેગ્વેંજ છે, જે એક બ્લોકચેન પર રન કરે છે. આ ડેવલપરે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન બનાવવામાં મદદ કરે છે.

બિટકોઈન બ્લોકચેન ટેકનોલોજીની એક ખાસ એપ્લિકેશન ઓફર કરે છે. અને આ એક પીઅર ટુ પીઅર ઈલેક્ટ્રોનિક કેશ સીસ્ટમ છે, જે ઑનલાઈન બિટકોઈન પેમેન્ટ્સ કરાય છે. બિટકોઈન બ્લોકચેનનો ઉપયોગ ડિજિટલ કરન્સી બિટકોઈનની ઓનરશીપની તપાસ કરવામાં થાય છે. જ્યારે ઈથેરિયમ બ્લોકચેનનું ફોક્સ કોઈપણ ડીસેન્ટ્રલાઈઝ્ડ એપ્લિકેશન પર પ્રોગ્રામિમ કોડ રન કરવા પર થાય છે.

ઈથેરિયમ બ્લોકચેનમાં બિટકોઈનની જેમ માઈનિંગ નથી હોતી. પણ માઈનર્સ ઈથર કમાવા માટે કામ કરે છે. ઈથરની ટ્રેડિંગ થાય છે, એપ્લિકેશન ડેવલપર્સ તેનો ઉપયોગ ઈથેરિયમ નેટવર્ક પર ટ્રાન્ઝેક્શન ફી અને સર્વિસીઝના પેમેન્ટ માટે કરે છે. ઈથેરિયમ બ્લોકચેનની બનાવટ બિટકોઈથી ખુબ હળતીમળતી છે, જો કે બિટકોઈનથી ઈથેરિયમમાં એકાઉન્ટનો ઉપયોગ થાય છે. બેંક એકાઉન્ટ્સ ફંડની જેમ ઈથર ટોકન એક વૉલેટમાં જોવા મળે છે, અને તે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. 23 સપ્ટેમ્બરના રોજ ઈથેરિમની કીમત 277.52 ડૉલર હતી.

હાલ તો ભારતમાં ક્રિપ્ટોકરન્સી ગેરકાયદે છે, પણ આવી કરન્સી ભારતમાં આવે તો કેટલી સફળ થાય તે પણ એક સવાલ છે.