રેલવેમાં હવે ટેબલેટ દ્વારા મશીન આપશે ફૂડ

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) એ ટ્રેન મુસાફરો માટે નવી સેવા શરૂ કરી છે. આ હેઠળ, લાંબા અંતરની મુસાફરો માટે ટ્રેનમાં ટૅબલેટ દ્વારા સંચાલિત ઑટોમેટેડ ફૂડ વેંડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સેવા કોઈમ્બતુર- બેંગલોર ઉદય એક્સપ્રેસમાં પૂરી પાડવામાં આવી છે.મુસાફરો આ સેવા દ્વારા બિસ્કીટ, ચિપ્સ વગેરે લઈ શકે છે. નાસ્તા ઉપરાંત, આ મશીનમાંથી ફળોનો રસ, ચા અને કોફી પણ મળશે. આ મશીનને ત્રણ કૉચ વચ્ચે ડાઇનિંગ એરિયામાં રાખવામાં આવેલ છે. આ સુવિધા ખાસ કરીને બિઝનેસ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

મુસાફરો ટૅબલેટ દ્વારા નાસ્તા અથવા ચા-કૉફી ઑર્ડર કરી શકે છે. ટેબ્લેટ પર તમે મશીનમાં ઉપલબ્ધ બધા નાસ્તાના મેનૂ-કાર્ડ પણ જોશો. ઑર્ડર પેસેન્જરને ડિલિવર થર્યા પછી, તમારે ચૂકવણી કરવી પડશે. ધ્યાનમાં રાખો કે મશીનથી માત્ર કેશ સામાન જ લઈ શકાય છે. જો સમાચાર માનવામાં આવે તો કેટલાક સમય પછી આ મશીન માટે કેશલેસ વ્યવહારોની સુવિધા પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેલવે ટૂંક સમયમાં જ ઑટોમેટેડ ફૂડ વેડિંગ મશીન એસી થ્રી ટાયરવાળી હમસફર એક્સપ્રેસમાં ટૂંક સમયમાં જ શરૂ કરી શકે છે. જો કે, રેલવે આ સેવાને લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે.

અગાઉ, આઇઆરસીટીસીએ ટિકિટોને ઓનલાઈન બુક કરવાની ઇ-વૉલેટ રજૂ કરી હતી, જે ટિકિટ બુક કરતી વખતે વપરાશકર્તાઓ ઉપયોગ કરી શકે છે. જો કે, તેનો ઉપયોગ માત્ર એન્ડ્રૉઇડ એપ્લિકેશન (આઈઆરસીટીસી રેલ કનેક્ટ) પર જ થઈ શકે છે. આઈઆરસીટીસીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ દ્વારા Tweet અનુસાર હવે પેસેન્જર આઈઆરસીટીસી એપ્લિકેશન દ્વારા તત્કાલ ટિકિટ બુક કરતી વખતે ઈ વૉલેટ વાપરી શકે છો.