રાષ્ટ્રનાયક, રાષ્ટ્રનિર્માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ૧૪૮મી જન્મજયંતી નિમિત્તે ભાવપૂર્ણ સ્મરણાંજલિ

૭૦ વર્ષ પહેલાં જેમની આગેવાની નીચે ચાલેલી અહિંસક લડત બાદ ભારત અંગ્રેજોનાં શાસનની ચુંગાલમાંથી મુક્ત બની એક આઝાદ દેશ બન્યો હતો, જન માનસમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે એ દિવસથી એક નવા, સ્વતંત્ર ભારતના ઈતિહાસનું નવું પ્રકરણ શરુ થયું હતું, એવા આઝાદીની ચળવળના સૂત્રધાર મહાત્મા ગાંધીની આજે ૧૪૮મી જન્મતિથિ છે. બીજી ઓક્ટોબર,૧૮૬૯ (ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫)ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી એક બાળકમાંથી ઉન્નત પ્રકારનું જીવન જીવીને વિશ્વમાં મહાત્મા ગાંધીના નામે અમર બની ગયા.

મહાત્મા ગાંધીએ ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે.

એવા વિશ્વવંદનીય ગાંધીજીનું આજે એમની જન્મ જયંતીએ સ્મરણ કરી, એમણે ચરિતાર્થ કરેલા જીવન મૂલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એ જ બાપુને સાચી શ્રધાંજલિ આપી ગણાશે.

ગાંધીજી આજીવન સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલ્યા હતા. એમના એ સિદ્ધાંતોને સમગ્ર દુનિયાએ અપનાવ્યા છે. માટે જ એમના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

(હિંદુસ્તાનની આઝાદી વિશે ગાંધીજીનો સ્વર સાંભળો)