ત્વચા માટે ફાયદાકારક દરિયાઈ મીઠું

પ્રાચીન ગ્રીસ સહિત સમગ્ર વિશ્વમાં સદીઓથી મીઠાના પાણીની થેરપીનો ઉપયોગ થતો આવ્યો છે. એવા પુરાવા છે કે આવું પાણી ત્વચા માટે ખૂબ સારું નીવડે છે. કેટલાક અભ્યાસોમાં એવું જણાયું છે કે જેમને સોરાયસીસ સહિત ત્વચાની બીમારીઓ હોય તેમને માટે મીઠાના પાણીથી સ્નાન કરવું ખૂબ જ અસરકારક નીવડે છે. મીઠાનું પાણી તમારી ત્વચા માટે નીચેની ૧૧ રીતે ખૂબ સારું સાબિત થાય છે: અત્રે એ નોંધવું જરૂરી છે કે મીઠાનું પાણી કહેવાનો અર્થ એ છે કે દરિયાઈ મીઠું એટલે કે સિંધાલૂણ.૧. તે ખુલ્લાં રોમછિદ્રો બંધ કરે છે. 

૨. તે વધારાનું તેલ શોષી લે છે. 

૩. તે તેલના નિર્માણમાં સંતુલન કરે છે.

૪. તે ખીલ કરતા બેક્ટેરિયાને મારી નાખે છે. 

૫. તે ત્વચા પરના ઉઝરડાને દૂર કરે છે.

૬. તે ઘાના નિશાન અને કાપાને પણ દૂર કરે છે.

૭. તે પોતાના મૃત કોષોને બહાર કાઢે છે.

૮. તે ત્વચાની કુદરતી pHને પુનઃસ્થાપિત કરે છે.

૯. આપણી ત્વચા યુવી કિરણો. સૂર્યપ્રકાશ, શરીરના તાપમાનના નિયંત્રણકર્તા તરીકે કામ કરે છે. ત્વચાના આ કાર્યને મીઠાનું પાણી સુધારે છે. 

૧૦. એ પાણી શોધવાની પ્રક્રિયાને વધારે છે. 

૧૧. તે બળતરા ઘટાડે છે. 

મોઢા પરના ખીલના બેક્ટેરિયાને કઈ રીતે મીઠાના પાણીથી દૂર કરવા તે પણ જાણીએ. જો તમે સમુદ્ર કિનારે રહેતા હો તો તમને કદાચ આ સૌંદર્ય રહસ્યની જાણ હશે જ. તમે સમુદ્ર કિનારા પાસે રહેતા હો કે ન રહેતા હો, તમને આ રહસ્યની જાણ હોય કે ન હોય, ચિંતાની જરૂર નથી. અમે તમને આ રહસ્યની જાણ કરી દઈએ છીએ. જ્યારે તમને તક મળે ત્યારે હુંફાળા મીઠાના પાણીની તમારા મોઢા ઉપર છાલક મારો. આ માટે એક કપ શુદ્ધ પાણીમાં એક ચમચી સમુદ્રનું મીઠું ઉમેરો. રૂની મદદથી મીઠાનું પાણી તમારા મોઢા ઉપર જ્યાં ખીલ થયું છે ત્યાં નાજુક રીતે હળવા હાથે લગાડો અને પછી તેને સૂકાવા દો. જો તમે આ રીત અજમાવો અને એક કે બે દિવસમાં તમારા ખીલ દૂર ન થાય તો એના માટે તમારો આહાર જવાબદાર છે. આ માટે તમારા આહારમાં ખાંડ, પ્રક્રિયા કરેલ જંકફૂડ, ગ્લુટેન, મગફળી, હાથાવાળી ચીજો અને દૂધનાં ઉત્પાદનો ખાવાનું ટાળો. પાંદડાવાળી ભાજી ખૂબ ખાવ. પ્રોટીનવાળો ખોરાક ખાવ. નાળિયેરનું તેલ અને એવોકાડો જેવાં ફળ ખાવ.

મીઠાના પાણીના સ્નાનથી ઉઝરડા દૂર કરો. આપણે ગુજરાતીમાં ઘણીવાર કહીએ છીએ કે હા ઘા પર મીઠું ભભરાવવું. જો તમે આ કહેવત સાંભળી હશે તો તમારે તમારા ઘા પર ક્યારેય મીઠાના પાણીના છંટકાવ નહીં કરવા દો. જોકે આ સારવાર નુકસાનકારક બેક્ટેરિયાને મારવા માટે અને ઝડપથી રૂઝાય તે માટે લાભદાયી સાબિત થઈ શકે છે. સંશોધન એવું કહે છે કે મેગ્નેશિયમ થી સમૃદ્ધ એવા અમૃતપાનની દરિયાઈ મીઠાના પાણીમાં સ્નાન કરવાથી ત્વચાનાં અંતરાય રૂપ કાર્યો જે ઉપર જણાવ્યાં તે સુધરે છે. ત્વચાનું હાઇડ્રેશનનું કાર્ય પણ વધારે છે. જો તમને કાપો પડ્યો હોય કે ઉઝરડો પડ્યો હોય તો આ બધી જ ચીજોની તમારે જરૂર છે. તમારા નહાવાના ગરમ પાણીમાં એક કપ દરિયાઈ મીઠું ઉમેરો. જો તમારે સ્નાનનો અનુભવ હજુ વધારે સુધારવો હોય તો તેમાં લવેન્ડર તેલનાં દસ ટીપાં ઉમેરો. તેની સુગંધથી તમારું મન અને તન પ્રફુલ્લિત થઈ જશે. તમને એવું લાગશે જાણે તમે કોઈ સ્પામાં ગયા છો.

આ ઉપરાંત મીઠાના પાણીના બીજા પણ ઉપયોગ છે. પરંતુ અહીં મીઠાના પાણીનો અર્થ છે કુદરતી મીઠાનું પાણી. સવારમાં ઉઠીને હૂંફાળું મીઠાનો પાણી પીશો તો તમારો આખો દિવસ સારો જશે. તેનાથી તમારા શરીરની હાઇડ્રેશનની પ્રક્રિયા સારી થશે પાચન સારું થશે, બળતરા ઘટશે તમારી ઊંઘ સારી થશે તમારા કોષમાંથી ઝેરીલા તો દૂર થશે અને તમારા હાડકાંનું આરોગ્ય પણ સુધરશે.