ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની મંગળવારે મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ ગઈ. એમાં અનિલ અંબાણીના પુત્ર જય અનમોલે હાજરી આપી હતી અને પહેલી જ વાર જાહેરમાં સંબોધન કર્યું હતું. અનમોલ ગ્રુપની ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપની રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે.
એજીએમમાં અનમોલના પિતા અનિલ અંબાણી તેમજ માતા ટીના અંબાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અંબાણી જૂનિયરે સંબોધન કર્યા બાદ ગઈ કાલે લગભગ ત્રણ કલાક સુધી એ સમાચાર ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યા હતા.
અનમોલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગ્રુપના ભવિષ્ય વિશે હું ખૂબ જ આશાવાદી છું. આપણી સફરમાં અવસરોનો ભરપૂર અવકાશ રહેલો છે. સંગઠિત રીતે આપણે ડિજિટલ છીએ. આપણે ફિઝિકલ અને ડિજિટલના સમન્વય સાથેના ભવિષ્યમાં માનનારા છીએ.
અનમોલે ત્યારબાદ કંપનીએ હાથ ધરેલી અનેક નવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
અનિલ અંબાણીએ કહ્યું હતું કે ટેલિકોમ સેક્ટરને વિસ્તરણ માટે તેમજ સેવાની ગુણવત્તાની જાળવણી માટે વર્ષેદહાડે રૂ. એક લાખ કરોડની આવશ્યક્તા છે.
અનમોલના પિતરાઈઓ – ઈશા અને આકાશ અંબાણી, જેઓ દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીનાં સંતાનો છે, તેઓ ગયા જુલાઈ મહિનામાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં જ્યારે મુકેશની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિઓ કંપનીએ સૌથી સસ્તા સ્માર્ટફોનને દેશમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
અનમોલ અંબાણીએ બ્રિટનની વોર્વિક બિઝનેસ સ્કૂલમાંથી ડિગ્રી હાંસલ કરી છે. રિલાયન્સ કેપિટલમાં અનેક ડિવિઝનમાં બે વર્ષ સુધી કંપનીની કામગીરી વિશેની તાલીમ લીધા બાદ ગયા ઓગસ્ટ મહિનામાં તેઓ કંપનીના બોર્ડમાં નિયુક્ત કરાયા હતા.
બરાબર એક વર્ષ પહેલાં, 2016ના ઓગસ્ટની એજીએમમાં અનિલ અંબાણીએ અનમોલને રિલાયન્સ કેપિટલના નવા એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે પ્રસ્તુત કર્યા હતા.
(અનમોલ અંબાણીઃ રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે પહેલી જ વાર સંબોધન)
httpss://twitter.com/RelianceCapital/status/912675149572227075
httpss://twitter.com/RelianceCapital/status/912669508594053120
httpss://twitter.com/RelianceCapital/status/912664064316207105
httpss://twitter.com/RelianceCapital/status/912627689160269826
httpss://twitter.com/RelianceCapital/status/912626317291536385