Friday, August 8, 2025
Google search engine
HomeNewsEntertainment'એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી બે નંબરનું કામ બંધ કરે': ગડકરી

‘એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી બે નંબરનું કામ બંધ કરે’: ગડકરી

નવી દિલ્હીઃ સોનુ નિગમ, નીતિન મુકેશ, તલત અઝીઝ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લાઇવ પર્ફોર્મન્સથી સંકળાયેલા 15 કલાકારોS કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ, હાઇવે અને MSME પ્રધાન નીતિન ગડકરી પાસે કોરોના સંકટમાં મદદ માગી છે. આમાં સંગીતકારો, ટેક્નિશિયન્સ અને ગાયકોનો પણ સમાવેશ થાય છે. તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીતિન ગડકરી સાથે વાતચીત કરી હતી.

લાઇવ પર્ફોર્મન્સ રદ થતાં લોકો પાસે કામ નથી

સોનુ નિગમે વાતની શરૂઆત કરતાં કહ્યું હતું કે લોકડાઉનને કારણે લાઇવ પર્ફોર્મન્સ કેન્સલ થઈ ગયા છે અને લોકોને કામ નથી મળી રહ્યું, કંઈક કરવું જોઈએ. સોનુ નિગમની વાતને ઇન્ડસ્ટ્રીના એક સભ્ય મનીષે આગળ વધારતાં કહ્યું હતું કે આગામી એક વર્ષ સુધીનાં બુકિંગ રદ છે. અમારા પૈસા ફસાઈ ગયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે ભીડ એકત્ર કરવા ઉપર પણ પ્રતિબંધ છે. IPL, IIFA, Google, Facebook અને IBMએ સત્તાવાર રીતે કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી દીધી છે.

લાઇવ પર્ફોર્મન્સમાં સંકળાયેલા છે કરોડો રૂપિયા

આ ઉદ્યોગમાં ઘણાબધા લોકો જોડાયેલા છે. લાઇવ પર્ફોર્મન્સ માટે કરોડો રૂપિયાની રકમમાં મોટાં-મોટાં ઉપકરણો ખરીદવામાં આવ્યા છે. આ ઉપકરણો EMIથી મેળવવામાં આવ્યાં છે. આ ઉપકરણોને વેરહાઉસમાં પણ રાખવામાં આવે છે અને ત્યાં પણ એનું ભાડું ચૂકવવું પડે છે. આ સાથે જોડાયેલા લોકોને પગાર ચૂકવવો પણ મુશ્કેલ થઈ રહી છે. વિદ્યુત શાહે કહ્યું હતું કે પેકેજ નહીં મળે તો એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી બરબાદ થઈ જશે અને વિદેશો લોકોના કબજામાં જતી રહેશે, કેમ કે તેમની પાસે સાધન અને સંસાધન અમારા કરતાં વધુ છે.

એક ઓર સભ્ય કે જે વકીલ પણ છે એ સોનિયા પણ વાતચીતમાં સામેલ થયાં હતાં. તેમણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં લાઇવ ઇવેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડસ્ટ્રીઝને MSMEનો દરજ્જો આપવો જોઈએ, રાહતો આપવી જોઈએ, અને EMIમાં રાહત આપવી જોઈએ.

નીતિન ગડકરીએ રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું

આના જવાબમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે જે લોકો તમારાથી જોડાયેલા છે, તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવો- જેમ કે મેડિકલ ખર્ચ માટે આયુષ્માન યોજના, જન-ધન યોજના, શ્રમિકોની યોજના…

ગડકરીએ કહ્યું કે તમારા લોકોએ MSMEના હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. મારા હિસાબે લોકો રજિસ્ટ્રેશન કરાવવામાં ડરે છે અને એવિચારે છે કે ટેક્સ ઓથોરિટીને જણાવવું પડશે. શરતોનું પાલન કરવું પડશે. આ ચક્કરમાં તેઓ નંબર-એકને બદલે નંબર-બેવાળી લાઇન પસંદ કરે છે, એટલે યોજનાઓનો પૂરો લાભ નથી મળતો.

બધાને મુખ્ય ધારામાં આવવાની જરૂર

તેમણે કહ્યું હતું કે બધાને મુખ્ય ધારામાં આવવાની જરૂર છે. બે નંબરનું કામ તરત જ રોકવાની જરૂર છે. નંબર-એકમાં કામ કરવાથી ટેક્સ પણ બચશે અને બધા પ્રકારના લાભ મળશે. સરકારને પણ જાણમાં રહેશે કે આ સેક્ટરમાં કયા પ્રકારની યોજનાઓ લાવવી જોઈએ.

ગડકરીની વાત સાંભળીને નીતિન મુકેશે કહ્યું કે, અમે પહેલાં ડરતા હતા, પણ તમારી વાત સાંભળીને બહુ સારું લાગ્યું છે.

જોકે કોઈએ પણ ગડકરીની બે-નંબરવાળી વાત પર કોઈ પ્રતિભાવ દર્શાવ્યો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular