Chitralekha Event ‘ચિત્રલેખા’ યોજિત ‘ઈન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનાર’: પોરબંદર, જૂનાગઢમાં પણ ઈન્વેસ્ટરોએ મેળવ્યું માર્ગદર્શન November 13, 2017 આદિત્ય બિરલા કેપિટલ અને ‘ચિત્રલેખા’ યોજિત ‘ઈન્વેસ્ટર એજ્યૂકેશન એન્ડ અવેરનેસ’ કાર્યક્રમ અંતર્ગત ‘મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ ફાઈનાન્સિયલ પ્લાનિંગ કોન્કલેવ-2017’ પરિસંવાદનું આયોજન ૧૧ નવેમ્બર, શનિવારે પોરબંદરમાં લોર્ડ્સ ઈકો ઈન તથા ૧૨ નવેમ્બર, રવિવારે જૂનાગઢમાં કિંગ્સ ક્રાફ્ટ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળના પરિસંવાદમાં શ્રોતા-ઈન્વેસ્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આર્થિક જગતમાં અંધાધૂંધીના અણસાર છે. નોટબંધી-જીએસટીના અમલ પછી વિકાસદર ઘટી રહ્યો છે. ફૂગાવો-મોંઘવારી-બેકારી પણ વધ્યાં છે. આવા અનિશ્ચિત માહોલ વચ્ચે નાણાંનું મૂડીરોકાણ તથા બચત માટે શું શું કરવું એનું સચોટ માર્ગદર્શન પોરબંદર, જૂનાગઢના ઈન્વેસ્ટરોએ આર્થિક નિષ્ણાતો પાસેથી આ પરિસંવાદમાં મેળવ્યું હતું. પરિસંવાદને અંતે ઈન્વેસ્ટરો સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલ પૂછનારને ઈનામ આપવામાં આવ્યા હતા. શ્રોતાગણ ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપતા એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ શ્રોતાગણ શ્રોતાગણ ગુરુરાજ ગુરુરાજ શ્રોતાગણ આર્થિક જગતના નિષ્ણાત વક્તાઓઃ ગૌરવ શ્રોતાગણ ઈન્વેસ્ટરો-નિષ્ણાત વક્તાઓનું સ્વાગત કરતા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાનું સંબોધન ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપી રહ્યા છે ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી પરિસંવાદને અંતે ચર્ચાસત્રમાં ઈન્વેસ્ટરો-શ્રોતાઓનાં સવાલોના જવાબ આપી રહ્યા છે વક્તાઓ ગૌરવ મશરૂવાળા, ગુરુરાજ અને મનીષ ઠક્કર