‘ટોઈલેટ: એક પ્રેમકથા’ના દિગ્દર્શકની નવી ફિલ્મનો હિરો હશે શાહિદ કપૂર

મુંબઈ – આ વર્ષે બોક્સ ઓફિસ પર હિટ થયેલી ફિલ્મોમાંની એક અને દર્શકોએ વખાણેલી હિન્દી ફિલ્મ ‘ટોઈલેટ: એક પ્રેમકથા’ના દિગ્દર્શક શ્રીનારાયણ સિંહે નવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. એ ફિલ્મનું ટાઈટલ હજી એમણે નક્કી નથી કર્યું, પણ અભિનેતા તરીકે શાહિદ કપૂરને પસંદ કરી લીધો છે.

નવી ફિલ્મનો વિષય વીજળીની ચોરીનો હશે. ફિલ્મમાં શાહિદ વકીલની ભૂમિકા કરશે.

શ્રીનારાયણ સિંહનો દાવો છે કે એમની નવી ફિલ્મ દર્શકોને જરૂર ગમશે. નવી ફિલ્મ વિશે શાહિદ કપૂરને મળ્યો ત્યારે પાંચ મિનિટમાં જ મેં નક્કી કરી લીધું હતું કે ફિલ્મના હિરો તરીકે શાહિદ એકદમ ફિટ છે.

નવી ફિલ્મ મહત્વના સામાજિક સંદેશવાળી ડ્રામા ફિલ્મ હશે, જેમાં માનવમૂલ્યોની પણ વાત હશે.

દિગ્દર્શક હાલ ફિલ્મની પટકથા પર કામ કરી રહ્યા છે.

અગાઉ એવા અહેવાલો હતા કે શાહિદ કપૂર રોશની ફિલ્મમાં કામ કરવાનો છે અને એમાં એ વકીલની ભૂમિકા કરશે.